આંબલા ગામ સમસ્ત તથા રામદેવપીર યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી રામદેવ રામાયણ કથા (પારાયણ) સવંત ૨૦૭૯ વૈશાખ સુદ બીજને શનિવાર તા.૨૨-૦૪-૨૦૨૩ના શુભદિનથી પ્રારંભ થતાં શ્રી ચંદ્રગીરીબાપુ ગોસ્વામી (રૂપાવટી વાળા) કથામૃતનું રસપાન સાથે આ કથામાં આવતા પ્રસંગો મહાધર્મની જ્યોત મહિમા,અજમલરાયની ભક્તિ,રામદેવજીનો જન્મ,સગુણા વિવાહ,રામદેવજી વિવાહ,રામદેવજીના પરચા, મહાધર્મ સંતોની રેલી, સંત મહિમા, રામદેવપીરની સમાધિનો ભાવિક ભક્તજનો ભાવભેર ઉજવણી કરી રહ્યા છે.

 આ શુભ ધાર્મિક કાર્યનો લાભ લેવા અને દર્શન કરવા આવતા સાધુ-સંતો, મહંતશ્રીઓ,ભાવિક ભક્તજનોનું આંબલા ગામ સમસ્ત તથા રામદેવપીર યુવક મંડળ ભાવભર્યું સ્વાગત કરી રહ્યા છે.