ઈસરવાડા સાઠ રોડ પર કેનાલના સાંકળા ગરનાળાનું નવીનીકરણ ખાતમુહૂર્ત સોજીત્રા ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તારાપુર તાલુકાના ઇસરવાડા થી સાંઠ રોડ પર બુધેજ ગામ પાસે આવેલ ખંભાત શાખાના ૧,૩૨,૦૦૦ સાંકળા ગરનાળાનું અંદાજીત રૂ.૧ કરોડ ૬૫ લાખના ખર્ચે નવીનીકરણનું ખાતમુર્હુત આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ ભરવાડ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ વાધેલા, તથા તાલુકા પંચાયત સભ્ય ગણપતભાઇ રાઠોડ, જીલ્લા પંચાયત અરવિંદભાઇ વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ ભગતસિંહ પરમાર, તારાપુર તાલુકા સંગઠન મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, તરુણભાઈ બારોટ, જીલ્લા પંચાયત સભ્ય દિપસંગભાઇ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખ અને આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ, તથા કાર્યકર્તાઓ ગામના નાગરિકો તેમજ અધિકારીઓ અને સિંચાઇ વિભાગનો સ્ટાફ સહિત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.