ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ પાસે આવેલ સ્ટેટ બેંકના એ.ટી.એમ. સેન્ટરમાં અજાણ્યા શખ્સે એ.ટી.એમ. કાર્ડ બદલી લઈને તેના પિતાના સેવિંગ એકાઉન્ટમાંથી કટકે કટકે રૂા.1,09,623 ઉપાડી લઈને છેતરપીંડી કર્યાની ફરીયાદ ધ્રાંગધ્રા સીટી પોલીસમાં નોધાતા તપાસ હાથ ધરાયેલ છે. આ બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રા રેલ્વેસ્ટેશન સામે રહેતા અને મજુરી કરતા ભગાજીભાઈ અંબાજીભાઈ વણઝારાએ તેમના દિકરા મહેશને એ.ટી.એમ. કાર્ડ અને પાસવર્ડ આપીને પૈસા ઉપાડવા મોકલ્યો હતો મહેશ ઝાલાવાડ ગ્રાઉન્ડ સામે આવેલ સ્ટેટબેંકના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયો હતોપ્રથમ પ્રયાસે પૈસા ઉપડયા નહોતા આથી બીજા પ્રયાસમાં તે એ.ટી.એમ. કાર્ડ મશીનમાં નાંખીને પાસવર્ડ નાંખતો હતો ત્યારે જ તેના મોટાભાઈ રવિનો ફોન આવેલ અને બાઈકની જરૂર હોઈ જલ્દી ઘેર આવવા કરેલ હતુ! એ વખતે એ.ટી.એમ.માં ઉભેલા અજાણ્યા શખ્સે હિન્દીમાં ” પૈસા નહિ ઉપડતા હૈ ?” કહીને તેણે એ.ટી.એમ. મશીન પાસે જઈ મહેશે નાંખેલુ એ.ટી.એમ. કાર્ડ કાઢીને તેનું એ.ટી.એમ. કાર્ડ નાંખેલ હતું અને મહેશને એ.ટી.એમ. કાર્ડ પરત આપતા તે ઘેર પરત ગયો હતો બાદમાં બેંકમાંથી ભગાજી ઉપર ફોન આવેલ કે, તમારા ખાતામાંથી રૂા.40,000 ઉપડેલ છે તમે જ ઉપાડેલ છે ને?આથી ભગાજીએ તેમના મોટા દિકરા રવિને વાત કરતા તેણે ભગાજીનો ફોન ચેક કરતા તેમના ખાતામાંથી અજાણ્યા શખ્સે કટકે કટકે આઠ ટ્રાન્ઝેકશન કરીને રૂા.1,09,623 ઉપાડી ગયાનું ધ્યાનમાં આવેલ હતુ. બાદમાં મહેશ જે એટીએમ કાર્ડ લઈને પરતઆવેલ તે ચેક કરતા એટી.એમ. કાર્ડ ભગાજીનું નહોતુ પરંતુ કોઇ બીજાના નામનું હોવાનું ધ્યાને આવેલ હતુ! આથી ભગાજીએ બેંકમાં પોતાનુ એ.ટી.એમ કાર્ડ બ્લોક કરાવીને ખાતુ ફ્રિજ કરાવી ધ્રાંગધ્રા સીટી પોલીસમાં અજાણ્યા શખ્સે એ.ટી.એમ કાર્ડ બદલીને રૂા.1,09,623 ની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी ने विदेश में किया भारत का अपमान, आज फिर प्रेस कान्फ्रेंस में बोला झूठ: रविशंकर प्रसाद
नई दिल्ली, कांग्रेस नेता राहुल गांधी ने संसद की सदस्यता रद्द होने के बाद आज प्रेस...
ચીખલી નવી વસાહતના ખેડૂતોએ જંગલખાતાની કામગીરીને રોકવા વિરપુરના મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ....
વિરપુર તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે તાજેતરમાં જંગલખાતા દ્વારા સ્થાનીકોના ખેતરના ઉભા પાક ઉપર...
ડીસામાં પાર્લર ચલાવતાં વૃદ્ધ પર હુમલો કરતાં ચકચાર
ડીસા વોર્ડ નં.-3 માં આવેલ જોખમનગર વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા એક દિવ્યાંગ વૃદ્ધ પર જુની અદાવત...
धरणीधर मंदिर समिति द्वारा कार्यवाहक ब्लॉक अध्यक्ष नागर का किया स्वागत
सांगोद(बीएम राठौर). धाकड़ समाज के धरणीधर मंदिर समिति द्वारा कांग्रेस ब्लॉक कमेटी के...
ಬೆಂಗಳೂರಿನ ರಾಜಾಜಿನಗರದ ಎಸ್. ನಿಜಲಿಂಗಪ್ಪ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಅಕ್ಟೋಬರ್ 20ರಂದು "ಮೆಗಾ ಉದ್ಯೋಗ ಮೇಳ"ವನ್ನು ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಅಕ್ಟೋಬರ್ 18, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಕೆಎಲ್ಗೆ ಸಂಸ್ಥೆಯ ಎಸ್. ನಿಜಲಿಂಗಪ್ಪ ಕಾಲೇಜಿನ...