સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.