દાહોદના પડાવ વિસ્તારમાં આવેલા રાવળીયાવાડમાં રહેતા ગતરોજ સવારે રાવળ સમાજનાં ૩૭ વર્ષીય શ્રમિક યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાના માતાજીના થાપડાવાળા મકાનમાં લાકડાની વળીએ સાડી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ પડાવ રાવળીયાવાડમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા ૩૭ વર્ષીય ધર્મેશભાઈ નંદકિરશોર કોઈ અગમ્ય કારણોસર પોાતના માતાના મકાનમાં સાડી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં અંગેની જાણ થતા દાહોદ ટાઉન એ ડિવીઝન પોલિસને થતાં પોલિસ રાવળીયાવાડ ખાતે દોડી આવી હતી. અને મૃતક ધર્મેશભાઈ રાવળની લાશને નીચે ઉતારી પંચો રૂબરુ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી હતી. ધર્મેશભાઈ રાવળનાં અકાળે મોતથી તેમના પરિવારમાં મોતનો માત છવાયો હતો. આ સંબંધે રાવળીયાવાડનાં મરણજનાર ધર્મએશભાઈ રાવળની પત્નિ ૩૫ વર્શષીય આશાબેન ધર્મેશભાઈ નંદકિશોર રાવળે દાહોદ ટાઉન એ ડિવીઝન પોલિસ સ્ટેશને જાણ થતાં પોલિસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતનો ગુનાના કાગળો તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.