મહીસાગર જિલ્લા ના વિરપુર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગે શોર્યધામ ફાગવેલ શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ભારતસિંહ પરમાર થતા વિરપુર બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તથા વિરપુર બાલાસિનોર ના ક્ષત્રિય સમાજના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ક્ષત્રિય સમાજ ના રોજગાર અને સામાજીક ક્ષ્રેત્રે નવી ચેતના જગાડવાના હેતુથી ક્ષત્રિય સમાજના સહયોગ અને આર્શીવાદ થી ક્ષત્રિય વિર ભાથીજી મહારાજની પવિત્ર અને શોર્યધરા ફાગવેલમાં ગુજરાત ના ક્ષત્રિય આગેવાનો , સંતો, મહંતો, ગુરુજનો, યુવકો અને હજારો ધર્મપ્રેમી ભાઈ બહેનો ના સહિયારા પુરુષાર્થ વડે શોર્યધામ સંસ્થાનું નિર્માણ થઇ રહ્યું તે માટે આ મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.