ડીસા તાલુકાના માલગઢ ગામની સ્કૂલવાળી ઢાણીમાં વિદ્યમાન જગતની જાગૃત જગદંબા ચોસઠ જોગણીયા માતાજીના દિવ્ય દરબારમાં ભજન સંધ્યા યોજાઇ હતી.

અર્જુન તેજાજી સોલંકીએ ભજન સંધ્યાની શુભ શરૂઆત ગણપતિ વંદના વડે કરી હતી.ત્યારબાદ ગુરુ મહીમા માતાજી ભેરૂજી ખેતલાજી હનુમાનજી અને રામદેવપીરના ભજનો પ્રસ્તુત કરાયા હતા.

ભજન સંધ્યાનો અબાલ વૃદ્ધ સૌ કોઇ શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો.અહીં દર અજવાળી ચૌદસે ભજન સંધ્યા હોય છે અને છેલ્લા ત્રણ વર્ષથી ચૈત્ર મહિનામાં નવેનવ દિવસ ભજનોની રમઝટ જામે છે એમ જોગમાયા યુવા પ્રગતિ મંડળના સભ્ય ધર્મેન્દ્ર સુંદેશાએ જણાવ્યું હતું.