હાલ માધવપુર ઘેડ મુકામે રાષ્ટ્રીય કક્ષા નો ભવ્ય મેળો યોજાયો છે ત્યારે ભારત ભર ના ઉચ્ચ કક્ષા ના અધિકારી અને આગેવાનો આ મેળા ની મુલાકાત લઈ રહિયા છે ત્યારે આજે આ મેળા માં ગુજરાત ના પ્રવાશન મંત્રી મુળુભાઈ બેરા અને માળીયા હાટીના તેમજ માંગરોળ ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા આવ્યા હતા જેમાં માળીયા હાટીના તાલુકા ના આગેવાનો નિ એક ટિમ તેમને મળી હતી અને માળીયા હાટીના તાલુકા ના ગીર વિસ્તારના પ્રશ્નો ના નિરાકરણ માટે ધારદાર રજુવાત કરી હતી સાથે સાથે કાતરાસા ગામે આવેલ ડેમ નું કામ કરવા પણ રજુવાત કરવામાં આવી હતી અને તેમના પ્રશ્નો નું વહેલી તકે નિરાકરણ લઈ આવવા વીનતી કરી હતી ત્યારે ગુજરાત રાજ્ય ના પ્રવાશન મંત્રી અને માળીયા માંગરોળ ના ધારસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા આ પ્રશ્નો નું નિરાકરણ કરવાની ખાત્રી આપવામાં આવી હતી જ્યારે આ ટિમ માં માળીયા હાટીના તાલુકા ના કિસાન મોરચા ના પૂર્વ પ્રમુખ બાબુભાઈ ડોડીયા તેમજ માળીયા હાટીના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ,ધરમપુર ગીર ગામ ના સરપંચ દેવાયતભાઈ ,તેમજ લાડુળી ગામ ના સરપંચ ,માલિયા તાલુકા પંચાયત ના સદસ્ય જોરાભાઈ,સાથે સગર સમાજ ના આગેવાન છગન ભાઈ કળથીયા સહિત ના આગેવાનો દ્વારા મુલાકાત કરી અને ગીર વિસ્તારવના પ્રાણ પ્રશ્નો નું વહેલી તકે નિરાકરણ કરવા રજુવાત કરી હતી

રિપોર્ટ :-વાઢીયા ભાઈ :- 9925095750