જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠ્યું..દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં રામનવમી ના દિવસે સવાર થી જ રામજી મંદિર દિયોદર ખાતે ભક્તો નો ઘસારો જોવા મળી આવ્યો હતો ત્યારે બાદ ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થયો હતો દિયોદર નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવ્યો હતો..આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી દિયોદર ના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી.. આ શોભાયાત્રા દરમિયાન નાના બાળકો વિવિધ વિશભૂષા માં જોવા મળી આવ્યા હતા.દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.....