વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં શિક્ષક તરીકે ની કારકિર્દી પૂરી થતાં તા,૨૭-૩-૨૩ ના રોજ શાળા ના પટાંગણ માં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર,તમામ સ્ટાફ તથા મંડળી ના સભ્યો તથા વિશાળ સંખ્યા મા હાજર વિદ્યાર્થી ઓ એ જયશ્રીબેન ને ભાવભર્યું વિદાયમાન આપેલ,આ પ્રસંગે જયશ્રીબેન તરફ થી ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ તથા તમામ સ્ટાફ મિત્રો ને પ્રતિક રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ,