સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્યિક સામાયિક 'વિશ્વ ગાથા' નું પ્રકાશન અને સંપાદન કરી રહ્યાં છે. અત્યારે આ સામયિકનું દશાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાથે ૧૧, માર્ચના રોજ શ્રી પંકજ ત્રિવેદીના સાઈઠ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત શ્રી રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ નિમિત્તે 'વિશ્વ ગાથા' ના દસ વર્ષના અંકોમાંથી શ્રી પ્રમોદ તિવારી દ્વારા 'વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું, તેનું વિમોચન પણ થયું. શ્રી પંકજ ત્રિવેદી છેલ્લાં ૩૭-વર્ષથી ગુજરાતી અને ૨૫-વર્ષથી હિન્દી સાહિત્યમાં લેખન કરીને સુરેન્દ્રનગરનું ગૌરવ વધારી રહ્યાં છે.