ખંભાતના શકરપુર મુકામે શ્રી રઘુનાથજી મંદિર અડદિયાનો વડ મંદિર ખાતે વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પ્રભુ રઘુનાથજી અને હનુમાનજી મહારાજના ચરણોમાં જન કલ્યાણ હેતુ પ્રાર્થના કરી પૂર્વ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 3.5 લાખના ખર્ચે મંજૂર થયેલ સંરક્ષણ દિવાલનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શકરપુર તાલુકા પંચાયત સભ્ય અલકાબેન ભીખાભાઈ પટેલ, ખરીદ વેચાણ સંઘ ડિરેક્ટર અશોકભાઈ વ્યાસ, રમણલાલ ઠક્કર, કલ્પેશભાઈ પંડિત, રમેશભાઈ પટેલ, રમણભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, મફતભાઈ પટેલ, ગુણવંતભાઈ ગજ્જર સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ - ખંભાત)