ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણ કરાઈ આજરોજ પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન - 2025 અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી ખાતે માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયા અને ડૉ.ફાલ્ગુનીબેન Dto સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ ડૉ.કે.આર.શ્રોફ.ફાઉન્ડેશન દ્વારા સર્વે કરીને ખેડબ્રહમા તાલુકાના જરૂરીયાતમંદવાળા ટોટલ 20 ટી.બી.રોગના દર્દીને પોષણ કીટ આપવામાં આવી.

જેમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.એમ.ડાભી સાહેબ, સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર- નરેન્દ્ર કુલકર્ણી,સીનીયર ટી.બી. લેબોરેટરી સુપરવાઈઝર-૨વિ ચોહાણ, ડૉ. કશ્યપભાઈ,તાલુકા સુપરવાઈઝર-અક્ષય પંડયા, અને ડૉ.કે.આર.શ્રોફ.ફાઉન્ડેશનના રાહુલભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.