પાટડી પંથકની બે બાળકોની માતા પર તેના જ સંબંધીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.મહિલાના મામાજીનો દીકરાએ વારંવાર દુષ્કર્મ આચરવાની સાથે આ વાત કોઇને કહી તો એના પતિ અને બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં પત્નિએ પતિ સાથે બજાણા પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના એક ગામમા રહેતી પરિણીતા દ્વારા બજાણા પોલીસ મથકે પોતાના મામાજીના દીકરા વિરૃદ્ધ ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પાટડી તાલુકાની એક પરણિત મહિલાને પોતાનો મામાજીનો જ દીકરો આશરે દોઢેક વર્ષ પહેલા પરિણીતાના ઘેર જઈને બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું હતુ. અને દુષ્કર્મ કર્યા બાદ કોઈને કહીશ તો તારા છોકરાઓને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો. ત્યાર બાદ વારંવાર બે બાળકોની માતાના ઘેર જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજરાતો હતો. પરંતુ પરિણીતાને ગર્ભ રહેતા ઈસમને જાણ થતા મહિલાને ધમકી આપી હતી કે, તુ ગર્ભપાત કરાવી નાખ નહીંતર તારા છોકરાનું અને તારા પતિનું અપહરણ કરીને લઈ જઈશ.જેથી પરિણીતાને ડર લાગતા તે ઈસમ સાથે વિરમગામ જઈને ગર્ભપાત કરાવ્યો હતો. જેથી પરિણીતાએ બાદમાં પોતાના પતિને જાણ કરતા પોતાના પતિ દ્વારા ગામના પોતાના મિત્રને લઈને ઈસમને સમજાવવા જઈ અને સામાજિક લેવલે સમાધાન કર્યું હતુ. ત્યારબાદ ઈસમ ગામ છોડીને જતો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ વિસેક દિવસમાં પાછો આવી અને પરિણીતાની છેડતી કરતો હતો. જેથી પરિણીતા અને તેના પતિ દ્વારા બજાણા પોલીસ મથકે દુષ્કર્મ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બજાણા પોલીસ મથકે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ અને ગુન્હો નોંધી વધુ કાર્યવાહી બજાણા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uddhav Thackeray Meets Sharad Pawar: सीट बंटवारों की खबरों के बीच शरद पवार से मिले उद्धव ठाकरे
Uddhav Thackeray Meets Sharad Pawar: सीट बंटवारों की खबरों के बीच शरद पवार से मिले उद्धव ठाकरे
DANTIWADA DAM/ દાંતીવાડા ડેમ ની જલ સપાટી તારીખ 15/09/2022 સવારે 10 વાગ્યા સુધી.
DANTIWADA DAM/ દાંતીવાડા ડેમ ની જલ સપાટી તારીખ 15/09/2022 સવારે 10 વાગ્યા સુધી.
જ્યારે મુશ્કેલી ઊભી થઈ, શ્રીકાંત ત્યાગીને અપમાનિત કર્યા, સીએમ યોગીએ આ રીતે પલટી બાજી
પહેલાની જેમ તે દિવસે પણ શ્રીકાંત ત્યાગી પોતાની દાદાગીરી ભેગી કરી રહ્યા હતા. પોતાની જાતને સત્તાની...
৩৬৯ বছৰীয়া পৰম্পৰাৰে মাজুলীৰ ঐতিহাসিক শ্ৰীশ্ৰীআউনীআটি সত্ৰত অনুষ্ঠিত হোৱা পালনাম মহোৎসৱৰ সামৰণি
৩৬৯ বছৰীয়া পৰম্পৰাৰে মাজুলীৰ ঐতিহাসিক শ্ৰীশ্ৰীআউনীআতি সত্ৰত অনুষ্ঠিত হোৱা পালনাম মহোৎসৱৰ সামৰনি।
બનાસકાંઠા જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડીસામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમનું રીહર્સલ યોજાયું
બનાસકાંઠા જિલ્લામાં ૭૪ મા પ્રજાસતાક દિનની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા...