ડીસા સિન્ધી સમાજ દ્વારા ચેટીચાદ નિમિત્તે જાહેરરજા જાહેર કરવા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું..

 23 માર્ચે જાહેર કરવા સિંધી સમાજ દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઈ..

ભારત દેશમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે 23 માર્ચ એટલે ચેટીચંદ પર્વ નિમિત્તે સરકાર દ્વારા જાહેરરજા જાહેર કરવામાં આવે તેવી સિંધી સમાજે માંગ કરી છે.

સિંધી સમાજના લોકો રાજ્યના દરેક ખૂણે વસે છે. 23 માર્ચ 2023 ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલજી સાઈનો જન્મદિવસ હોઇ સમગ્ર સમાજના લોકો ખૂબ આસ્થા સાથે આ દિવસે ચેટીચંદના તહેવાર રૂપે મનાવે છે. ત્યારે સરકાર દ્વારા 23 માર્ચના રોજ ચેટીચંદની રજા જાહેર કરાયેલી નથી. આ અંગે સમાજ દ્વારા વારંવાર મૌખિક, લેખિત તેમજ ઓનલાઇન રજૂઆત કરેલ છે. પરંતુ સરકારે રજા જાહેર કરી ન હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ, કર્મચારીઓને નોકરી જેવા પ્રશ્નોના કારણે અવ્યવસ્થા સર્જાય તેમ હોઇ સિંધી સમાજ પ્રત્યે સરકારનું નિષ્ક્રિય વલણ હોય તેવી લાગણી સમાજ અનુભવી રહ્યો છે. ત્યારે ડીસામાં સિંધી સમાજના અગ્રણીઓએ આયો લાલ ઝુલેલાલ ના નાદ સાથે નાયબ કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી 23 માર્ચના રોજ જાહેરરજા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી અને દર વર્ષે ચેટીચંદની તિથિ મુજબ આવતા દિવસે જ ચેટીચંદની રજા જાહેર કરવા પણ સમાજે માંગ કરી છે.

આ પ્રસંગે સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ભાગચંદાણી, મંત્રી અનિલ ફુલવાણી, ઉપ-પ્રમુખ પ્રકાશ આસ્નાની, લક્ષ્મીચંદ તેજવાણી, સમાજના અગ્રણીઓ દિલીપભાઈ ઠરીયાણી, દિલીપભાઈ ઠક્કર, ગોવિંદભાઈ માખીજા સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી 23 માર્ચે ચેટીચંદની રજા જાહેર કરવાની માંગ કરી હતી...