મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવાની માગ; ડીસાના ગાંગેશ્વર મંદિરે મહાઆરતી-મોહનથાળની પ્રસાદીનું આયોજન

અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી મામલે ડીસામાં ગંગેશ્વર મહાદેવના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી અને મોહનથાળની પ્રસાદનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી મોહનથાળની પ્રસાદી ફરી ચાલુ કરવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. તેમજ વર્ષોની પરંપરા જાળવી રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ઉગ્ર માગ કરી હતી