રાજુલા નાં મહેરબાન નામદાર એડીશ્નલ સેશન્સ અને ડિસ્ટીકટ જજ, એમ. એસ. સોની સાહેબની કોર્ટનો એટ્રોસીટી કેસનો મહત્વનો ચુકાદોઃ-

 બચાવ પક્ષે વિદ્વાન ધારા શાસ્ત્રી જીગ્નેશભાઇ હાનાણીની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખતા રાજુલાનાં મહેરબાન એડીશ્નલ સેશન્સ અને ડીસ્ટીકટ જજ એમ.એસ. સોની સાહેબે આપ્યો મહત્વનો ચુકાદો.

નિર્દોષ ઠરેલા નાં નામ સરનામાં 

(૧) ભરતભાઇ ગોબરભાઇ વાળા, તથા

(૨) પ્રકાશભાઇ ગોબરભાઇ વાળા તથા

(૩) રામકુભાઇ કાદુભાઇ ભુકણ

રહેવાસી ત્રણેય રાજુલા તાલુકાનાં બરબટાણા વાળા ઉપર

ભારતીય દંડ સંહિતા ની કલમ 323, 504, 506(2), 114 તથા એટોસીટી એકટ ની કલમ 3(1)(R)(S), 3(2)(5)(A) મુજબનો ગુન્હો

રાજુલા પોલિસ સ્ટેશનમાં ૨૩/૨૦૧૮ થી ગુન્હો રજી. થયેલ હોય અને જેનો નામદાર કોર્ટમાં સ્પેશીયલ એટ્રો.કેસ નં. ૧૧/૨૦૧૮ નો નંબર પડેલ

સદરહું કૅસ નામદાર જજ સાહેબ મમતા એચ. સોની સાહેબની કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષે વિદ્વાન અને યુવા વકીલ જીગ્નેશભાઇ બી. હાનાણી ની ધારદાર દલીલો અને રજુઆતો તેમજ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલા ચુકાદાઓને ધ્યાને લઇ નામદાર કોર્ટ દવારા સદરહું ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ તા. ૨૩//૦૫/૨૦૨૩ નાં રોજ કરવામાં આવેલ 

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.