ધુળેટીમાં પણ માવઠું: બનાસકાંઠાના અમીરગઢ-ઈકબાલગઢ પંથકના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત બે દિવસથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જોકે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અમીરગઢ-ઈકબાલગઢ સહિતના પંથકમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોનું જીવ તાળવે ચોંટ્યો છે. ઘઉં, રાયડો, બટાકા સહિતના તૈયાર પાકો લેવાના સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.