શ્રી હનુમાનદાદા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈન્દ્રમણા ગામમાં શ્રી હનુમાન દાદા તથા શ્રી મોટીમા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પ્રતિષ્ઠા નો પ્રારંભ ૧૦/૩/૨૩ ના રોજ થશે તેમજ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ ૧૨/૩/૨૩ ના રોજ પૂર્ણ થશે,, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ મંગલકારી દિવસે કર્મ આરંભ, કર્મકુટીર અને અગ્નિ સ્થાપના કરવામાં આવશે તેમજ બીજા કલ્યાણકારી દિવસે જલયાત્રા તેમજ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. અને પાવનકારી તૃતીય દિવસ સવારે પ્રાંત પૂજા તેમજ ૧૨:૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, પ્રતિષ્ઠા ના ત્રણે દિવસે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.૧૧ તારીખની રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં આર્શીવાદ પાઠવવા માટે સંતો મહંતો પધારશે. આ શુભ પ્રસંગે તમામ ભક્તજનોને પધારવા માટે સમસ્તગ્રામ જનો પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આમ ૧૦/૧૧/૧૨ માર્ચ ના પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે..