ઘોઘંબાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 32મો પાટોત્સવ આજરોજ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં રંગે ચંગે યોજાયો હતો. જેમાં વર્ષ 1990 ની સાલમાં ઘોઘંબા ખાતે પંચમહાલમાં સૌપ્રથમ વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને પંચમહાલમાં ભક્તિભાવની સરવાણી વહેતી કરી હતી ત્યારથી અહીં ઘોઘંબા તાલુકામાં રહેતા ભક્તો વિષય વ્યસન અને વહેમ છોડીને ભગવાનનું ભજન કરતા થયા હતા. જેના કારણે આદિવાસી સમાજમાં પણ સત્સંગ નો પ્રચાર અને પ્રસાર ખૂબ જ થયો હતો ત્યારબાદ 1998 માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અહીં પધાર્યા હતા અને 2013 માં બીએપીએસ સંસ્થાના વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને પુનઃ પ્રતિષ્ઠા કરી હતી આવા પ્રસાદી ભૂત મંદિરનો 32 મો પાટોત્સવ આજરોજ ગોધરા થી પધારેલા બીએપીએસ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી તથા નડિયાદ મંદિરથી પધારેલા પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા આ વિસ્તારમાં વિચરણ કરતા પૂજ્ય વેદપ્રિય સ્વામી અને પૂજ્ય સંત દર્શન સ્વામી ના સાનિધ્યમાં ઘોઘંબા તેમજ આજુબાજુના ગામડાના ભક્તોની હાજરીમાં ભગવાનને મહાપૂજા કરી તેમજ મૂર્તિઓનું પૂજન કરી પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પૂજન બાદ પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી એ સત્સંગ કથા વાર્તા નો પણ લાભ આપ્યો હતો અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદી લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  'जल्द से जल्द अपने वादों को पूरा करें चंद्रबाबू नायडू', कांग्रेस ने कुछ इस तरह सरकार चलाने के लिए सिखाया पाठ 
 
                      विजयवाड़ा। आंध्र प्रदेश कांग्रेस अध्यक्ष वाईएस शर्मिला ने मुख्यमंत्री चंद्रबाबू नायडू से...
                  
   સાબર સ્ટેડિયમ ખાતે રમત ગમત સ્પર્ધા યોજાઈ 
 
                      હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે રમત ગમત સ્પર્ધા “સ્પંદન ૨૦૨૩” યોજાઇ ૨૦૦ થી વધુ...
                  
   इंसान की जिंदगी में दो बार आती है बुढ़ापे की लहर, शरीर में होते हैं कई तरह के बड़े बदलाव 
 
                      Human Aging in 40s and 60s: 
उम्र के हर एक पड़ाव पर शरीर में कई तरह के बदलाव होते हैं, लेकिन...
                  
   অসমৰ ক্ষুদ্ৰ চাহ উদ্যোগলৈ আশাৰ বতৰা। 
 
                      অসমৰ ক্ষুদ্ৰ চাহ উদ্যোগলৈ আশাৰ বতৰা। অতি শীঘ্ৰে অসমৰ ক্ষুদ্ৰ চাহ খেতিয়ক সকলৰ সমস্যা সমাধানৰ...
                  
   ડીસામાં એક શાળામાં વિદ્યાર્થીઓએ 1008 દીવડાઓથી ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવ્યું 
 
                      ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં ગત રાત્રે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 700 જેટલા...
                  
   
  
  
  
  
  