અમરેલી સીટી પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ.

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

જેઅન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

ગુનાની વિગતઃ-

ગત તા.૦૮/૧૧/૨૦૨૨ ના રોજ મેહુલભાઇ બચુભાઇ શ્રીમાળી, ઉ.વ.૩૧, રહે.લાઠી, આલમગીરી હોટલની આગળ, તા.લાઠી, જિ.અમરેલી વાળા પોતાનો મોબાઇલ ફોન કિ.રૂ.૨૦,૦૦૦/- નો અમરેલી શહેરમાં માધવ હોસ્પીટલ આગળ પોતાની ગાડીમાં ચાર્જીંગમાં મુકેલ હોય, કોઇ અજાણ્યો ચોર ઇસમ આ ચાર્જીંગમાં રાખેલ મોબાઇલ ફોનની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે મેહુલભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય,

જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી અમરેલી સીટી પોલીસસ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૦૮૧/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પક્ડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઈલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગત રાત્રીના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા, હવેલી ચોકમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

રાહુલ રાજેશભાઈ શાહ, ઉ.વ.૨૩, રહે.વાવેરા, તા.રાજુલા, જિ.અમરેલી.

રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-

એક સેમસંગ કંપનીનો 5-10 મોડલનો મોબાઇલ ફોન કિં.રૂ.૨૦,૦૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી