આણંદ જીલ્લાના તમામ તાલુકાઓમાં ઉનાળાની સિઝનમાં પાક માટે પાણી વધુ સમય આપવા સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી

આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના ખેડૂતો દ્વારા ઉનાળાની ચાલુ સિઝન દરમ્યાન આણંદ જીલ્લાના તમામ તાલુકા જેવા તારાપુર, સોજીત્રા, ખંભાત, પેટલાદ, આણંદ, બોરસદ, આંકલાવ અને ઉમરેઠ માટે મહિ સિંચાઇ દ્વારા નહેરોમાં પૂરતા પ્રમાણમાં પાણી વધુ સમય માટે આપવામાં આવે તો ખેડૂતો સિંચાઇ માટે લાભ લઈ શકે તેવી ભલામણ સાથેનો લેખિત પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી