વેરાવળની એક ખાનગી શાળામાં આચાર્ય ખુદ ભાનભૂલી ગયાં હોય તેમ માસૂમ બાળકો પર શાળામાં અત્યાચાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેરાવળની ખાનગી શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતાં બાળક અક્ષર સારા કરતો ન હોવાથી આ આચાર્યએ તેને માર મારી વાસના ભાગે ભરોડો પાડી ગંભીર ઈજા પહોંચાડી હતી.વેરાવળમાં ભીડિયા વિસ્તારની સ્વામિનારાયણ વલ્લભ સંસ્કાર કેન્દ્ર સંચાલિત ખાનગી શાળાના આચાર્યએ ઘો.3 માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. શાળામાં અભ્યાસ કરતો વર્ષના માસૂમ વિદ્યાર્થી પોતાના ક્લાસ રૂમમાં અભ્યાસ કરી રહ્યો હોય અને તેને લેસન બુકમાં અક્ષર સારા થતાં નહોતા. જેનાં કારણે રામભાઈ કામળિયા નામના આચાર્યએ સમાન્ય બાબતે આ બાળકને ઢોરમાર માર્યો હતો.ધો.3 માં અભ્યાસ કરતો માસૂમ વિદ્યાર્થીને માર મારતાં શરીરમાં વાસના ભાગે ભરોડો ઉઠી ગઈ હતી. આ ઘટનાને પગલે પીડિત વિદ્યાર્થીના વાલીએ શાળામાંથી લિવિંગ સર્ટી કઢાવી લીધું હતું. આવી ગંભીર ઘટના બની હોવા છતાં શિક્ષણ વિભાગથી ઘટના છુપાવાઈ રહી હોય જેથી આ બાબતે ગંભીરતાથી જવાબદાર આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી હતી.