ધારી, બગસરા, અમરેલી, લીલીયા અને સાવરકુંડલા તાલુકાના ૩૪ ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના 

 તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ને બુધવારના રોજ સાંજે ૭.૩૦ ક્લાકે જિલ્લાના ધારી તાલુકાના ધારી ગામ પાસે આવેલી શેત્રુંજી નદી ઉપર આવેલા ખોડીયાર સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમનું નિર્ધારીત રુલ લેવલ જાળવવા માટે ૧ (એક) દરવાજો ૦.૧૫૨ મીટર ખુલ્લો હતો. તેમાં વધારો કરીને ૧ (એક) દરવાજો ૦.૩૦૫ મીટર કરવામાં આવ્યો છે, જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૮૦૦ ક્યુસેક છે. જેથી ખોડીયાર સિંચાઈ યોજના જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના આપવામાં આવી છે. ધારી તાલુકાના આંબરડી, પાદરગઢ, ભરડ અને પાદરગઢ બગસરા તાલુકાના હાલરીયા, હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, લોકા, લોકી, શેઢાવદર સાવરકુંડલા તાલુકાના બોરાળા, જુના સાવર, ખાલપર, આંકોલડા, મેકડા, ફિફાદ, ઘોબા અને પીપરડી સહિતના ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવી.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.