જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના બામણવાળા ગામે યદુનંદન શેક્ષણિક સંકુલ ખાતે સ્વર્ગસ્થ મુળુભાઈ કાનાભાઈ રામ તથા દિનેશભાઇ રામાભાઈ રામ ના સ્મરણાથે આજે વાર્ષિક ઉત્સવ વસંત નો વૈભવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ માં વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે બલ્ડ ડોનેશન કેમ્પ તેમજ વાલીઓ નું એક સંમેલન પણ યોજવામાં આવ્યું હતું તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમને દીપ પ્રાગટય સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પૂ હરિપ્રકાસ સ્વામી, પૂ ધર્મકિશોર સ્વામી અને પૂ ઘનશ્યામ શરણદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહિયા હતા અને પોતાના આશીર્વચન આપ્યા હતા ત્યારે આ કેમ્પ માં ઇન્ડિયન ઓઇલ વાસુદેવ પેટ્રોલિયમ ના સહકાર સાથે રક્તદાન કેમ્પ માં આશરે 80 બોટલ જેટલું રક્તદાતા એ રક્તદાન કર્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિપુલ સાહેબ તેમજ આગેવાનો અને યુવા ભાઈ બહેનો એ રક્તદાન કર્યું હતું .જ્યારે આર્યુવેદીક અને હોમિયોપેથીક કેમ્પ માં 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો