ખંભાત તાલુકાના નગરા ખાતે દવાસણી માતા અને દ્વારકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણના પાટોત્સવની ત્રિ-દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

૨૨મી ફેબ્રુઆરી ફાગણસુદ ૩ ને બુધવારે સવારે પ્રતિષ્ઠાનો પ્રારંભ કરાશે તેમજ દવાસણી માતાજીના મંદિરેથી નારીયા ફળી નગરા ખાતે શોભાયાત્રા નીકળશે.૨૩મી ફેબ્રુઆરીના ગુરુવારના રોજ પૂજા, સ્થાપના વિધિ, દેવ પ્રતિષ્ઠા, ધજા આરોહણ કરાશે.જ્યારે ૨૪મી ફેબ્રુઆરી શુક્રવારે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.ભાવિક ભક્તોને પાટોત્સવમાં ભાગ લેવા અખબારી યાદીમાં જણાવ્યું છે.