128 હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં આવતો પ્રત્યેક માનવી રાજ્ય સરકારની તમામ લાભકીય તેમજ યોજનાકિય સહાયનો લાભ મેળવી શકે અને છેવાડાનો એક પણ વ્યક્તિ કોઈ પણ સરકારી યોજનાથી વંચિત ન રહે અને તાલુકા પંથકની જનતા પોતાના પાયાના જરૂરિયાતના પ્રશ્નોનું નિરાકરણ પોતાના લોક પ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય પાસેથી મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંથકની જનતાના પ્રશ્નોના નિરાકરણ અંતર્ગત બેઠક યોજી હતી જેમાં તાલુકા પંથકની જનતાના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેઓએ લાગતા વળગતા વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સહિત તલાટી,સરપંચોને તાલુકા પંથકની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ કરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું