પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ સેવા કેન્દ્ર ખાતે મહાશિવરાત્રી ના પાવન પ્રસંગે તા.૧૮/૨/૨૩ ના રોજ સેવા કેન્દ્ર ના મુખ્ય સંચાલિકા રાજયોગીની બી.કે. નીતા દીદી ની ઉપસ્થિત માં અને બોટાદ નગરપાલિકા ના એડમિનિસ્ટ્રેટર અને પ્રાંત અધિકારી શ્રી દિપક એસ.સતાણી , શ્રીમતી ભાવના બેન સતાણી અને મુક્તિધામ ના ચેરમેનશ્રી સી.એલ.ભીકડીયા ની ઉપસ્થિત માં બ્રહ્માકુમારીઝ પ્રટાંગણ માં વિશાલ ભાઈ- બહેનો ની હાજરીમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો .જેમાં બોટાદ પ્રાંત અધિકારી શ્રી સતાણી સાહેબ ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવેલ.પ્રતિજ્ઞા વાંચન બી.કે.નીતા દીદી એ કરી સૌ ને શપથ લેવડાવેલ.

    ત્યારબાદ અત્રે થી ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ પ્રાંત અધિકારી શ્રી ડી.એસ.સતાણી અને બી.કે.નીતા દીદી એ લીલી ઝંડી બતાવી કરવામાં આવેલ. આ શોભાયાત્રા ભાવનગર રોડ - જ્યોતિગ્રામ સર્કલ- દીનદયાળ ચોક - હવેલી ચોક - એસ ટી.ડેપો - પંજવાણી વે બ્રીઝ થઈ શાંતિવન સોસાયટીમાં પરમાત્મા શિવ નો ધ્વજ લહેરાવી સમાપન કરવામાં આવેલ.