આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.