ફતેપુરા તાલુકાના ભીતોડી મુકામે તારીખ-૧૨/૨/૨૦૨૩ ના રોજ જાબુવા મુકામે આગામી તારીખ ૨૫ ૨૬ ફેબ્રુઆરી-૨૦૨૩ ના રોજ યોજાનાર હલમાં કાર્યક્રમમાં જવા માટેના આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જેમાં ફતેપુરા તાલુકાનામાંથી મોટાભાગના ગામોમાંથી આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.જાબુઆથી રાજારામજી કટારા અને વિજેન્દ્રજી અમલીયાર ઉપસ્થિત રહ્યા હતા અને રાજારામજી કટારાએ હલમાં કાર્યક્રમ વિશે ખૂબ સારી રીતે માહિતી આપી હતી.હલમાં એટલે કે કોઈ ભાઈ મુશ્કેલીમાં હોય તો તેને બધા સાથે મળી મદદ કરીને તેને મુશ્કેલીમાંથી ઉગાડવાનો કાર્યક્રમ જેને હાલમાં કહેવામાં આવે છે જે આદિવાસીઓની પરંપરા છે.જેના વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે આગામી સમયમાં હલમાં કાર્યક્રમ માટે ૨,૦૦,૦૦૦ ઘરોમાં ૧૫૦૦ ગામોમાં નિમંત્રણ આપેલ છે.તથા આ કાર્યક્રમમાં ૪૦ થી ૫૦ હજાર લોકો ઉપસ્થિત રહેશે નું જાણવા મળે છે.જેની જાણકારી આપવામાં આવી હતી. તથા રાષ્ટ્રપતિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે તેવું જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ વિજેન્દ્રભાઈ અમલીયાર અને શૈલેષભાઈ ગરાસિયા દ્વારા પણ સૌને શિવગંગા વિશે તથા તેમના કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી સાથે શંકરભાઈ કટારા દ્વારા આદિવાસી સમાજનો ઇતિહાસ તેની સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી.સાથે-સાથે આદિવાસી સમાજને અન્ય સમાજાેની હરોળમાં આવવું હોય તો શું કરવું પડશે જે બાબતે ખૂબ સારી માહિતી આપવામાં આવી હતી તથા સમાજને આગળ લઈ જવો હોય તો દરેકે શિક્ષિત અને સંસ્કારી બનવું પડશે તેમ જણાવ્યું હતું.છેલ્લે હલમાં કાર્યક્રમમાં જવા માટે દરેક ગામમાંથી બે થી ત્રણ ગાડી લોકો ત્રિકમ,પાવડો અને તગારી લઈને ખૂબ ઉત્સાહ સાથે હલમાં કાર્યક્રમમાં જાેડાવાની તૈયારી બતાવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચલાલા પો.સ્ટે.ના ખુનની કોશીશના કેસના ગુન્હામા સંડોવાયેલ ધારી તાલુકાના નવા ચરખા ગામે રહેતાં પાંચ આરોપીઓને ઝડપી પાડતી ચલાલા પોલીસ ટીમ.
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ...
WhatsApp पर कॉन्टैक्ट का चैट पेज बदला हुआ आएगा नजर, लास्ट सीन की जगह दिखाई देगी अब ये जानकारी
अगर आप भी चैटिंग फाइल-शेयरिंग और कॉलिंग के लिए इस्टेंट मैसेजिंग ऐप वॉट्सऐप का इस्तेमाल करते हैं...
Loksabha Election 2024: Saurabh Bhardwaj ने Delhi BJP के 7 सांसदों से पूछे 7 सवाल | PM Modi
Loksabha Election 2024: Saurabh Bhardwaj ने Delhi BJP के 7 सांसदों से पूछे 7 सवाल | PM Modi
मणिपुर पर भागवत बोले- यहां सुरक्षा की गारंटी नहीं:फिर भी हमारे कार्यकर्ता डटे
राष्ट्रीय स्वयंसेवक संघ के प्रमुख मोहन भागवत ने गुरुवार को कहा, मणिपुर में परिस्थितियां कठिन बनी...