ફતેપુરા તાલુકાના ભીતોડી મુકામે તારીખ-૧૨/૨/૨૦૨૩ ના રોજ જાબુવા મુકામે આગામી તારીખ ૨૫ ૨૬ ફેબ્રુઆરી-૨૦૨૩ ના રોજ યોજાનાર હલમાં કાર્યક્રમમાં જવા માટેના આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જેમાં ફતેપુરા તાલુકાનામાંથી મોટાભાગના ગામોમાંથી આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.જાબુઆથી રાજારામજી કટારા અને વિજેન્દ્રજી અમલીયાર ઉપસ્થિત રહ્યા હતા અને રાજારામજી કટારાએ હલમાં કાર્યક્રમ વિશે ખૂબ સારી રીતે માહિતી આપી હતી.હલમાં એટલે કે કોઈ ભાઈ મુશ્કેલીમાં હોય તો તેને બધા સાથે મળી મદદ કરીને તેને મુશ્કેલીમાંથી ઉગાડવાનો કાર્યક્રમ જેને હાલમાં કહેવામાં આવે છે જે આદિવાસીઓની પરંપરા છે.જેના વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે આગામી સમયમાં હલમાં કાર્યક્રમ માટે ૨,૦૦,૦૦૦ ઘરોમાં ૧૫૦૦ ગામોમાં નિમંત્રણ આપેલ છે.તથા આ કાર્યક્રમમાં ૪૦ થી ૫૦ હજાર લોકો ઉપસ્થિત રહેશે નું જાણવા મળે છે.જેની જાણકારી આપવામાં આવી હતી. તથા રાષ્ટ્રપતિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે તેવું જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ વિજેન્દ્રભાઈ અમલીયાર અને શૈલેષભાઈ ગરાસિયા દ્વારા પણ સૌને શિવગંગા વિશે તથા તેમના કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી સાથે શંકરભાઈ કટારા દ્વારા આદિવાસી સમાજનો ઇતિહાસ તેની સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી.સાથે-સાથે આદિવાસી સમાજને અન્ય સમાજાેની હરોળમાં આવવું હોય તો શું કરવું પડશે જે બાબતે ખૂબ સારી માહિતી આપવામાં આવી હતી તથા સમાજને આગળ લઈ જવો હોય તો દરેકે શિક્ષિત અને સંસ્કારી બનવું પડશે તેમ જણાવ્યું હતું.છેલ્લે હલમાં કાર્યક્રમમાં જવા માટે દરેક ગામમાંથી બે થી ત્રણ ગાડી લોકો ત્રિકમ,પાવડો અને તગારી લઈને ખૂબ ઉત્સાહ સાથે હલમાં કાર્યક્રમમાં જાેડાવાની તૈયારી બતાવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सैटेलाइट ब्रॉडबैंड के लिए नहीं होगी स्पेक्ट्रम की नीलामी, ज्योतिरादित्य सिंधिया बोले ट्राई तय करेगा कीमत
Satellite Internet India केंद्रीय संचार मंत्री ज्योतिरादित्य सिंधिया ने कहा कि देश में सैटेलाइट...
પીંડારા ગામે પાંડવોના વખતથી દર વર્ષે યોજાતો પરંપરાગત મલ કુસ્તી મેળો 27 ઓગસ્ટના રોજ યોજાશે
પીંડારા ગામે પાંડવોના વખતથી દર વર્ષે યોજાતો પરંપરાગત મલ કુસ્તી મેળો 27 ઓગસ્ટના રોજ યોજાશે
પાલનપુર સિવિલ હોસ્પીટલમા કેમ્પસમા સરકારી નર્સિંગ કોલેજમા 7 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર
પાલનપુર સિવિલ હોસ્પીટલમા કેમ્પસમા સરકારી નર્સિંગ કોલેજમા 7 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર
રાજુલા ખાતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા ગણેશજીની મૂર્તિ વિતરણ કરવામાં આવ્યું
રાજુલા ખાતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા ગણેશજીની મૂર્તિ વિતરણ કરવામાં આવ્યું