*દાંતીવાડા તાલુકાના વાઘરોળ નજીક અકસ્માત: ચાર ના મોત*

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના વાઘરોલ ચાર રસ્તા નજીક અકસ્માતસર્જાયો હતો. જેમાં બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બાઇક સવાર ત્રણ વ્યક્તિ ઉપરાંત કારમાં સવાર એક વ્યક્તિનું પણ મોત થયું છે. જો કે આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.તેમજ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું હતું. જેમાં મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે દાંતીવાડા હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે આ અકસ્માતને પગલે દાંતીવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

અહેવાલ નવીન ધર્માણી ડીસા