સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલ નાકા સત્તાધીશો દ્વારા આવતી કાલ 5 ફેબ્રુઆરી રવિવારથી કોમર્સીયલ સહિત લોકલ વાહન ચાલકો માટે ટોલ વસુલાત ફરજિયાત કરી દેવાનું એલાન કરવામાં આવ્યું હતું.ત્યારે શુક્રવારના રોજ સ્થાનિકો સહિત અન્ય વાહન ચાલકો દ્વારા ટોલ નાકા પર મોરચો માંડી દેવાયો હતો.ચક્કા જામની પરિસ્થિતિ સહિત ચોર્યાસી ટોલનાકા ખાતે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.જિલ્લા ટ્રાફિક સહિત સ્થાનિક પોલીસ ટુકડીઓ દ્વારા પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી.પરંતુ કોઈ ચોક્કસ નિવેડો આવી શક્યો ના હતો.ત્યારે ફરી આજ રોજ કામરેજ DYSP બી.કે વનાર સહિત પી.આઇ આર.બી ભટોળ,સ્થાનિક રહીશો વાહન ચાલકો સહિત ટોલ પ્લાઝા અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી.જેમાં આવનાર 10 મી ફેબ્રુઆરી સુધી લોકલ વાહનો માટે ટોલ મુક્તિ આપવામાં આવી છે.લોકલ વાહન ચાલકોએ પોતાના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.તેમજ બેઠકમાં હાજર ટોલ પ્લાઝા અધિકારીઓ પોતાના ઉપરી અધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ જ 10 ફેબ્રુઆરી પછી નવા નિયમ વિશે જણાવશે.એવી માહિતી જાણવા મળી હતી.(બેઠકમાં ઉપસ્થિત સ્કાયલાર્ક ઇન્ફ્રા.એન્જી.પ્રા.ના જી.એમ અશોક યાદવે જણાવ્યું હતું કે મિટિંગમાં હાજર સ્થાનિક વાહન ચાલકો દ્વારા તેમને ટોલ મુક્તિ આપવામાં આવે એવી રજૂઆત હતી.પરંતુ તેમણે જણાવ્યું હતું કે સ્થાનિકો દ્વારા જમાં કરાવેલા ડોક્યુમેન્ટની ચકાસણી બાદ પણ ટોલ મુક્તિ મળશે જ એ વિશે મારી પાસે કોઈ સત્તા નથી.જે કોઈ પણ નિર્ણય લેવાશે એ ઉપરી અધિકારીઓ જ લઈ શકશે)
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ ৰাইদঙীয়া ৰাস মঞ্চত বিংশতিতম দ্বি-বাৰ্ষিক ৰাস মহোৎসৱ
শ্ৰী শ্ৰী কৃষ্ণৰ ৰাস মহোৎসৱক লৈ ৰাজ্যৰ অন্যান্য প্ৰান্তৰ লগতে বৃহত্তৰ মৰাণ অঞ্চলতো দেখা গৈছে...
Chandrayaan-3 Launch LIVE News: कुछ देर में लॉन्च होने वाला है चंद्रयान-3 | ISRO | Moon Mission
Chandrayaan-3 Launch LIVE News: कुछ देर में लॉन्च होने वाला है चंद्रयान-3 | ISRO | Moon Mission
এক বৰ্ণিল সাংস্কৃতিক শুভাযাত্ৰাত জিলিকি উঠিল ধিং অঞ্চল
এক বৰ্ণিল সাংস্কৃতিক শুভাযাত্ৰাত জিলিকি উঠিল ধিং অঞ্চল
વેજલપુર ચલાલી માર્ગ ઉપર કાંટા મુકી રસ્તો બંધ કરતા તર્ક વિતર્કો
વેજલપુર થી ચલાલી જોડતા રસ્તા ઉપર તાર બાંધી કાંટા મૂક્યા અને લૂંટફાટ ના ઇરાદાથી રસ્તો બંધ કર્યો...