શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...