ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે અક્ષર ટ્રસ્ટ દાહોદ અને દ્રષ્ટિ નેત્રાલય દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ 31મી જાન્યુઆરી 2023 ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક મોતિયાના ઓપરેશન કેમ્પ યોજાયો જેમાં 20 જેટલા ગરીબ આદિવાસી વૃદ્ધોની આંખોના મોતિયાના ઓપરેશન દ્રષ્ટિ નેત્રાલય દાહોદ ખાતે કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતી ડોક્ટર શિલ્પાબેન પટેલ તથા બ્લોગ હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રશાંત ડાભીએ કેમ્પની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું