ગુજરાતના બનાસકાંઠાની પાલનપુર વિદ્યામંદિર શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતા યશ નામના વિદ્યાર્થીના મમ્મી પપ્પાએ ઘરે મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા ટેકનિકલ એક્સપર્ટ પાસે પહોંચ્યો અને તેની વાત સાંભળ્યા બાદ ટેકનીકલ એક્સપર્ટ હિતેન ભાઈએ બાળકને મોબાઇલમાં ગેમ રમવાને લઈ જાતે ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો.જે ગેમમાં ભણવાનું પણ આવી જાય,જેથી યશે માત્ર એક મહિનાની મહેનતમાં માર્યો જેવી ગેમ બનાવી છે.ગેમમાં ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે જો સાચા જવાબ આપીએ તો આગળ વધીએ,આમ વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત,વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે.યશે જણાવ્યું હતું કે,ઘરે મમ્મી-પપ્પા ગેમ રમવા દેતા નથી.આ બાબતે મેં અમારા સાયન્સ ક્લબના સર સાથે ચર્ચા કરી.સરે મને કહ્યું કે તૂ એક એવી ગેમ બનાવ જેમાં રમવાની સાથે- સાથે ભણવાનું પણ થઈ જાય.જેથી મને આઇડિયા આવ્યો કે ગેમની સાથે ખજાનો મેળવવા જઈએ તો તેમાં સાયન્સ ના પ્રશ્નો ગણિતના પ્રશ્નો આવે જેથી એવી ગેમ બનાવી એ તો મમ્મી પપ્પા પણ ગેમ રમવાની ના ન પાડે.યશે જણાવ્યું હતું કે જયારે આપણે ગેમમાં ખજાનો લેવા જઈએ ત્યારે પ્રશ્ન પુછવામાં આવે છે,જો જવાબ આપીએ તો ચાવી મળે અને આગળ વધીએ.વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળશે.વિદ્યામંદિરમાં ટેક્નિકલ એક્સપર્ટ તરીકે કામ કરતા હિતેનભાઈ એ જણાવ્યું હતું કે મારી પાસે ધોરણ 7 માં ભણતો એક પ્રોબ્લેમ લઈને આવ્યો હતો.સર ગેમ રમવાથી ક્રિએટીવીટી તો વધે છે પરંતુ મમ્મી પપ્પા ગેમ રમવા નથી દેતા આના માટે શું કરી શકાય.બાદમાં તેણે એક મહિનાની મહેનતમાં સરસ ગેમ બનાવી છે જેમાં તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત પણ મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৰুজনাৰ নাম কীৰ্তনেৰে মুখৰিত বিজেপি কাৰ্যালয় ।।
অসমৰ জাতীয় জীৱনৰ প্ৰাণ প্ৰতিষ্ঠা কৰা মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱ গুৰুজনাৰ পৱিত্ৰ তিৰোভাৱ তিথি...
▶️দুৰ্নীতিত লিপ্ত হোৱাৰ অভিযোগ অস্বীকাৰ সাংসদ দীলিপ শইকীয়াৰ▶️যি ক’ব লগা আছে সেয়া পিছত ক’ম
▶️দুৰ্নীতিত লিপ্ত হোৱাৰ অভিযোগ অস্বীকাৰ সাংসদ দীলিপ শইকীয়াৰ▶️যি ক’ব লগা আছে সেয়া পিছত...
আজিৰে পৰা অসম বিধানসভাৰ শৰৎকালীন অধিৱেশন; ১৯ ছেপ্টেম্বৰত সামৰণি পৰিব অধিৱেশনৰ
পঞ্চদশ অসম বিধান সভাৰ ২০২২ চনৰ শৰৎকালীন অধিৱেশন (Autumn Session of Assam Assembly) আজিৰে পৰা...
ખાંભા તાલુકા સ્વામિવિવેકાનંદ યુવક મંડળ દ્વારા ખાંભા મુકામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું.
આજ રોજ ખાંભા તાલુકા સ્વામિવિવેકાનંદ યુવક મંડળ દ્વારા ખાંભા મુકામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનુ...
আজি বৰভাগত শ্বহীদ মকুন্দ কাকতিক স্মৰণ
আজি ২০ চেপ্তেম্বৰ৷নলবাৰী জিলাৰ বৰভাগত আজি শ্বহীদ মকুন্দ কাকতিৰ ৮২ সংখ্যাক স্মৃতি দিৱস উদযাপন...