બનાસકાંઠા જિલ્લામાં ૧૪૨૨૧૯ હેક્ટર વિસ્તારમાં લીલા ઘાસચારાના વાવેતર વચ્ચે શિયાળામાં જ સુકા ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. જેને લઇ પશુપાલકો ની હાલત કફોડી બની જવા પામી છે. સુકા ઘાસચારાની માંગને લઇ જીલ્લામાં ઠેરઠેર સૂકા ઘાસનો વેપાર શરૂ થયો છે. જયાંથી પશુપાલકોએ ઊંચા ભાવથી ઘાસ લઈને પશુઓનો નિભાવ કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે સૂકો ઘાસચારો આફત સમાન સાબિત થઈ રહ્યો છે એક તરફ સિંચાઈ માટે ભૂગર્ભ જળ ઊંડા જતા હાલના તબક્કે સૂકા ઘાસ ચારાની અછત ઊભી થઈ છે તો બીજી તરફ પંજાબ હરિયાણા સહિત રાજસ્થાનમાંથી આવતો સુકો ઘાસચારો હવે બમણા ભાવથી પશુપાલકોને મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો ડીસા, દાંતીવાડા, વડગામ અને ધાનેરા પંથકના પશુપાલકો હવે ઘાસચારાના ડેપો માંથી સુકો ઘાસચારાની ખરીદી રહ્યા છે. વધુ ઊંચા ભાવે આવતો સુકો ઘાસચારો પશુઓને નિભાવવા માટે પશુપાલકો ખરીદવા મજબૂર બન્યા છે. મગફળીની સૂકી ચારના ૨૦ કિલોના ૨૦૦ રૂપિયાના ભાવે હાલ ખેડૂતો લઈ પશુઓને નિયાર કરી રહ્યા છે. તો બાજરીનું ભુસુ ૨૦ કિલોના ૨૪૦ રૂપિયે ખેડૂતો ખરીદી કરી રહ્યા છે જયારે પૂળાનો ભાવ ૩૦ રૂપિયાથી વધુ થતા મોંઘા ભાવનો ઘાસચારો ખરીદીને પણ પશુપાલકો પોતાનું પશુધનને બચાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુઈગામ તાલુકાના ભરડવા વાસ પ્લોટ વિસ્તારમા પાણી ભરાયા
#buletinindia #gujarat #banaskantha
Breaking News: Ratan Tata के निधन पर Jharkhand और Maharashtra में एक दिन का राजकीय शोक घोषित
Breaking News: Ratan Tata के निधन पर Jharkhand और Maharashtra में एक दिन का राजकीय शोक घोषित
ઠાસરા તાલુકાના કોટલીન્ડોરા ગામનું નામ રોશન કર્યું.
કોટલિંડોરા ગામ ની દીકરી એ નામ રોશન કર્યુ. ગામમાં પ્રથમ પી.એચ.ડી. થયાં .
ઠાસરા તાલુકાના કોટલિંડોરા...
તળાજામાં પશુઓની સેવા બજાવતા યુવાનોની મુલાકાત લેતા એસટી કર્મચારી મંડળ જુઓ
તળાજામાં પશુઓની સેવા બજાવતા યુવાનોની મુલાકાત લેતા એસટી કર્મચારી મંડળ જુઓ
લોક આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ના આંગણે સર્વ જ્ઞાતી સમુહલગ્ન મહોત્સવ નું આમંત્રણ અમદાવાદ શહેર મેયર ને પાઠવતા ટ્રસ્ટી મહંત ચેતન બાપુ
અમદાવાદ શહેર લાલ બંગલા સી જી રોડ પાસે કાર્યરત લોક આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ના આંગણે 8 ડીસેમ્બર ના...