દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે એક વ્યક્તિએ ગીરવે મુકેલ જમીન છોડાવી લીધાં બાદ પણ અન્ય ઈસમો દ્વારા વ્યક્તિને તેની પોતાની જમીનમાં ખેતીકામ ન કરવા દેતાં અને મારક હથિયારો વડે હુમલો કરી એકને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે. (રિપોર્ટ - રાજ કાપડિયા - 9879106469) ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં મહેશભાઈ સમુભાઈ પારગીએ પોતાના ગામમાં આવેલ પોતાની જમીનને ગામમાં રહેતાં મંગળાભાઈ બીજીયાભાઈ પારગી પાસે રૂા. ૧,૭૦,૦૦૦માં ગીરવે મુકી હતી. થોડા સમય બાદ ગીરવે મુકેલ જમીન મહેશભાઈએ મંગળાભાઈ પાસેથી છોડાવી લીધી હતી ત્યાર બાદ પણ મંગળાભાઈના હિસાબ પ્રમાણે ખેતરમાં થયેલ ખેડાઈ તથા અન્ય ખર્ચ સહિત રૂા. ૩,૦૯,૨૦૦ ચુકવી દીધા હતાં ત્યારે મહેશભાઈએ ખેતી કામ કરવા જતાં મંગળાભાઈ પારગી, દિનેશભાઈ બીજીયાભાઈ પારગી, હકજીભાઈ હીરાભાઈ પારગી અને રાજુભાઈ જાેગડાભાઈ પારગીનાઓએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લોખંડની પાઈપ, તલવાર વિગેરે જેવા તીક્ષ્મ હથિયારો સાથે મહેશભાઈ પારગી પાસે આવી મારક હથિયારો વડે મહેશભાઈને માર મારી પથ્થર મારો કરી શરીરે ઈજાઓ પહોંચાડી બેફામ ગાળો બોલી ખેતરમાં ખેતીકામ કરતાં રોકી કહેવા લાગેલ કે, તમારા ઘર ખાલી કરી જતા રહેજાે નહીતર આ વખતે તો જીવતા બચી ગયા છો બીજી વાર જીવતા નહીં રહો, તેમ ધાકધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ બીજીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डॉ. भीमराव अंबेडकर पर अपमानजनक टिप्पणी का विरोध, शाह का पुतला जलाकर एसडीएम को सौंपा ज्ञापन
कनवास. क्षेत्र में भीम आर्मी के सदस्यों द्वारा संविधान निर्माता डॉ. भीमराव अंबेडकर पर संसद भवन...
મહુધા સરપંચ એસો દ્વારા તલાટી ઓની હડતાલ ના પગલે આવેદનપત્ર. || Nirnay Media
મહુધા સરપંચ એસો દ્વારા તલાટી ઓની હડતાલ ના પગલે આવેદનપત્ર. || Nirnay Media
लाडपुरा भाजपा विधायक ने ऐतिहासिक छतरी के पुनर्निर्माण की बात की, कल्पना देवी ने सीएम को लेटर लिखा
लाडपुरा से भाजपा विधायक कल्पना देवी ने मुख्यमंत्री भजनलाल शर्मा को पत्र लिखकर राव सूरजमल जी हाडा...
'Mahatma Gandhi, Tagore, Ambedkar से मिलते तो ' की बात Netanagri में कहां से आई? Saurabh Dwivedi
'Mahatma Gandhi, Tagore, Ambedkar से मिलते तो ' की बात Netanagri में कहां से आई? Saurabh Dwivedi
পথ দুৰ্ঘটনাত আঘাতপ্ৰাপ্ত হৈ বৃদ্ধৰ মৃত্যু
পথ দুৰ্ঘটনাত আঘাতপ্ৰাপ্ত হৈ বৃদ্ধৰ মৃত্যু