દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે એક વ્યક્તિએ ગીરવે મુકેલ જમીન છોડાવી લીધાં બાદ પણ અન્ય ઈસમો દ્વારા વ્યક્તિને તેની પોતાની જમીનમાં ખેતીકામ ન કરવા દેતાં અને મારક હથિયારો વડે હુમલો કરી એકને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે. (રિપોર્ટ - રાજ કાપડિયા - 9879106469) ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં મહેશભાઈ સમુભાઈ પારગીએ પોતાના ગામમાં આવેલ પોતાની જમીનને ગામમાં રહેતાં મંગળાભાઈ બીજીયાભાઈ પારગી પાસે રૂા. ૧,૭૦,૦૦૦માં ગીરવે મુકી હતી. થોડા સમય બાદ ગીરવે મુકેલ જમીન મહેશભાઈએ મંગળાભાઈ પાસેથી છોડાવી લીધી હતી ત્યાર બાદ પણ મંગળાભાઈના હિસાબ પ્રમાણે ખેતરમાં થયેલ ખેડાઈ તથા અન્ય ખર્ચ સહિત રૂા. ૩,૦૯,૨૦૦ ચુકવી દીધા હતાં ત્યારે મહેશભાઈએ ખેતી કામ કરવા જતાં મંગળાભાઈ પારગી, દિનેશભાઈ બીજીયાભાઈ પારગી, હકજીભાઈ હીરાભાઈ પારગી અને રાજુભાઈ જાેગડાભાઈ પારગીનાઓએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લોખંડની પાઈપ, તલવાર વિગેરે જેવા તીક્ષ્મ હથિયારો સાથે મહેશભાઈ પારગી પાસે આવી મારક હથિયારો વડે મહેશભાઈને માર મારી પથ્થર મારો કરી શરીરે ઈજાઓ પહોંચાડી બેફામ ગાળો બોલી ખેતરમાં ખેતીકામ કરતાં રોકી કહેવા લાગેલ કે, તમારા ઘર ખાલી કરી જતા રહેજાે નહીતર આ વખતે તો જીવતા બચી ગયા છો બીજી વાર જીવતા નહીં રહો, તેમ ધાકધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ બીજીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eknath Shinde यांचा नाव न घेता Uddhav Thackeray, Sharad Pawar यांच्यावर निशाणा| Ajit Pawar| BJP
Eknath Shinde यांचा नाव न घेता Uddhav Thackeray, Sharad Pawar यांच्यावर निशाणा| Ajit Pawar| BJP
बेसमेंट में चल रही Bureaucrats Library के गेट में करंट, UPSC एस्पिरेंट झुलसी, ICU में भर्ती
बेसमेंट में चल रही Bureaucrats Library के गेट में करंट, UPSC एस्पिरेंट झुलसी, ICU में भर्ती
૯૧- તાલાળા વિધાનસભા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર ભગવાન બારડે પોતાના વતન બાદલપરા માં મતદાન કર્યું
૯૧- તાલાળા વિધાનસભા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર ભગવાન બારડે પોતાના વતન બાદલપરા માં મતદાન કર્યું
કાલોલ નગર અને તાલુકા પંથકમાં હોળી - ધુળેટીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાલોલ નગર અને તાલુકાના બધા જ ગામોમાં શાસ્ત્રોક્ત વિધિ - વિધાનોથી હોળી દહન કરવામાં આવ્યું હતું....
आदमखोर' तेंदुए का 13वें दिन भी कोई सुराग नहीं, पुलिस और आर्मी का सर्च ऑपरेशन जारी
उदयपुर के गोगुंदा में आदमखोर पैंथर का 13वें दिन भी कोई सुराग नहीं लगा है. वन विभाग की अलग-अलग...