દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે એક વ્યક્તિએ ગીરવે મુકેલ જમીન છોડાવી લીધાં બાદ પણ અન્ય ઈસમો દ્વારા વ્યક્તિને તેની પોતાની જમીનમાં ખેતીકામ ન કરવા દેતાં અને મારક હથિયારો વડે હુમલો કરી એકને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે. (રિપોર્ટ - રાજ કાપડિયા - 9879106469) ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં મહેશભાઈ સમુભાઈ પારગીએ પોતાના ગામમાં આવેલ પોતાની જમીનને ગામમાં રહેતાં મંગળાભાઈ બીજીયાભાઈ પારગી પાસે રૂા. ૧,૭૦,૦૦૦માં ગીરવે મુકી હતી. થોડા સમય બાદ ગીરવે મુકેલ જમીન મહેશભાઈએ મંગળાભાઈ પાસેથી છોડાવી લીધી હતી ત્યાર બાદ પણ મંગળાભાઈના હિસાબ પ્રમાણે ખેતરમાં થયેલ ખેડાઈ તથા અન્ય ખર્ચ સહિત રૂા. ૩,૦૯,૨૦૦ ચુકવી દીધા હતાં ત્યારે મહેશભાઈએ ખેતી કામ કરવા જતાં મંગળાભાઈ પારગી, દિનેશભાઈ બીજીયાભાઈ પારગી, હકજીભાઈ હીરાભાઈ પારગી અને રાજુભાઈ જાેગડાભાઈ પારગીનાઓએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લોખંડની પાઈપ, તલવાર વિગેરે જેવા તીક્ષ્મ હથિયારો સાથે મહેશભાઈ પારગી પાસે આવી મારક હથિયારો વડે મહેશભાઈને માર મારી પથ્થર મારો કરી શરીરે ઈજાઓ પહોંચાડી બેફામ ગાળો બોલી ખેતરમાં ખેતીકામ કરતાં રોકી કહેવા લાગેલ કે, તમારા ઘર ખાલી કરી જતા રહેજાે નહીતર આ વખતે તો જીવતા બચી ગયા છો બીજી વાર જીવતા નહીં રહો, તેમ ધાકધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ બીજીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
...
Tyre Care Tips: घिसे हुए और खराब टायर की कैसे करें पहचान? यहां जानिए स्टेप-बाय-स्टेप प्रोसेस
सभी टायर नियमित उपयोग के बाद एक निश्चित मात्रा में ट्रेड रबर खो देते हैं। समय और थकावट के साथ...
৭৪ সংখ্যক গণৰাজ্য দিৱসৰ লগত সংগতি ৰাখি নাজিৰা মহকুমা প্রশাসনৰ মুক্তি যুঁজাৰু সকলক সম্বৰ্ধনা ।
৭৪ সংখ্যক গণৰাজ্য দিৱসৰ লগত সংগতি ৰাখি আজি নাজিৰা মহকুমা প্ৰশাসনৰ তৰফৰ পৰা মহকুমাটোৰ অন্তৰ্গত...
शिवसेना पर किसका दावा पुख्ता, सुप्रीम कोर्ट में सुनवाई आज
शिवसेना के शिंदे बनाम उद्धव विवाद से जुड़े मामलों पर भी संविधान पीठ में आज सुनवाई। सविधान पीठ को...
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
જુનાગઢ સિવિલ...