સવારના ૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૮ વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ,,,બનાસકાંઠા જિલ્લામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે, જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિધાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓના હિતમાં શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે-૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૨૦-૦૦ વાગ્યા પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. માહિતી બ્યુરો પાલનપુર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घाटसावळीच्या सराफा व्यापाऱ्यास मारहाण; जिल्हा रुग्णालयात उपचार सुरू@india report
घाटसावळीच्या सराफा व्यापाऱ्यास मारहाण; जिल्हा रुग्णालयात उपचार सुरू@india report
વડોદરા: પરિવાર ફાઉન્ડેશન દ્વારા દેશના ક્રાંતિવીરો તથા શહીદો નાં નોટબુક સ્ટીકર વિતરણ | Vadodara News
વડોદરા: પરિવાર ફાઉન્ડેશન દ્વારા દેશના ક્રાંતિવીરો તથા શહીદો નાં નોટબુક સ્ટીકર વિતરણ | Vadodara News
અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી
ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા...
IRCTC Rules : Train Tickets for Kids Below 5 | ५ वर्षांपर्यंतच्या मुलांचंही तिकीट काढावं लागणार का?
IRCTC Rules : Train Tickets for Kids Below 5 | ५ वर्षांपर्यंतच्या मुलांचंही तिकीट काढावं लागणार का?
তিনিচুকীয়া জিলাৰ ছৈখোৱা ধলাত ৭১ সংখ্যক বড়ো সাহিত্য সভাৰ প্ৰতিষ্ঠা দিৱস উদযাপন
তিনিচুকীয়া জিলাৰ ছৈখোৱা ধলাত ৭১ সংখ্যক বড়ো সাহিত্য সভাৰ প্ৰতিষ্ঠা দিৱস উদযাপন