પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે છોટાઉદેપુર જિલ્લા પોલીસવાળા ના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરિને ડામવા માટે લોક દરબાર પાવીજેતપુર પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લા પોલીસવાળા ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષ સ્થાને ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ ૨૦૧૧ અન્વયે પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે પાવીજેતપુર પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મોટી આમળોલ તેમજ આજુબાજુના ગામડાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકોને વ્યાજ કોરી અંગે જનજાગૃતિ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.
સરકારે વ્યાજખોરિના દૂષણ સામે લાલ આંખ કરી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નાગરિકો પાસે ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલ કરતા વ્યાજ ખોરોની સામે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંગે વ્યાજખોરિથી બચવા લોકોને જાગૃત કરવા માટે પાવીજેતપુર પોલીસ દ્વારા પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે જિલ્લામાં પોલીસવાળામાં અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજવામાં આવ્યો હતો.
જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ મજબુર અને લાચાર લોકોની પરિસ્થિતિ તથા ગરજ નો લાભ લઈ તગડા વ્યાજે ગેરકાયદેસર નાણાની તીરદાર કરતાં ઈસમો વિરુદ્ધ ની આ ઝુંબેશ માં નાગરિકોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. વ્યાજખોરિનનું દૂષણ ચલાવતા ઇસમોની બાતમી આપનાર નું નામ ગુપ્ત રખાશે તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે સરકાર તરફથી જે નક્કી કરવામાં આવેલા રેટની ઉપર કોઈ પણ વ્યાજે પૈસા નહીં આપી શકે. જ્યારે રજીસ્ટર નહીં થયેલા હોય તેવા માણસ વ્યાજનો ધંધો પણ નહીં કરી શકે જો કોઈ માણસ નિયમ વિરુદ્ધ વ્યાજ વસુલશે તેના ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આમ, પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરિને ડામવા માટેનો પાવીજેતપુર પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો.