ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...