સ્વામી વિવેકાનંદજન્મજયંતિ નિમિતે અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે વકુતત્વ સ્પર્ધા અને પુસ્તક પ્રદર્શનનુ આયોજન..

સ્વામી વિવેકાનંદજન્મજયંતિ (રાસ્ટ્રીય યુવા દિવસ) નિમિતે અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે ભવ્ય વકુત્તત્વ સ્પર્ધા અને પુસ્તક પ્રદર્શનનુભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ...

આ પાવન અને પવિત્ર દિવસને ધ્યાનમાં રાખી યુવાનોમાં કોશલ્ય વિકાશ અને કારકિર્દીમાર્ગદર્શન વિશે જ્ઞાનધારા અંતર્ગત સરોત્રા માધ્યમિક શાળાના શિક્ષક મધુકર ચૌહાણ દ્વારા બાળકો. ને વ્યાખ્યાન દ્વારા માહિતી પુરી પાડવામાં આવી ત્યારબાદ સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગ ઉપર વકુત્તત્વ સ્પર્ધા યોજવામાં આવી...

આ સમગ્ર કાર્યક્રમમાં અગ્રવાલ ડિમ્પલ પ્રથમ ક્રમે.બીજા ક્રમે ડાભી ગિરવરસિહ .ત્રીજા ક્રમે ૨ણાવાસીયા અજય અને ડામોર દિપક વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોલેજ પરીવાર અને સ્ટાફ દ્વારા પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી ત્યારે કોલેજના આચાર્ય શ્રી.એન.કે.સોનારાના માર્ગદર્શન હેઠળ જ્ઞાનઘારા કોઓડીનેટર ફરહિના. શેખ. ઘરતીનાઇ. ખુશ્બુ જાની દ્વાર સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યુ અને છેલ્લે ડો.નરેશ જોષી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી..