બનાસકાંઠા જિલ્લા ના પાલનપુરના ગોળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ ગયો હતો. જેમાં દિયોદર ખાતે આવેલ વી.કે વાઘેલા હાઈસ્કૂલના બાળકોએ વિભાગ-2 માં કૃતિ રજૂ કરી હતી જેમાં વી. કે. વાઘેલા હાઈસ્કૂલ ના બાળકો એ વિભાગ-2 ની કૃતિમાં પ્રથમ નંબર મેળવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓમાં ત્રિવેદી કાવ્ય તુષારભાઈ અને દેસાઈ સુમિત રમેશભાઈ તેમજ માર્ગદર્શક તરીકે શાળા ના શિક્ષકો એ.પી.ભાટી,પી. ડી.જોશી, એચ.ડી.મોદી, જે.એન.પંડ્યા ના માર્ગદર્શન હેઠળ આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળા ના આચાર્ય એ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શન શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા..