કોટડા ગામે ૪૦ ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સિંહ - સિંહણના મોત..

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ખાંભા પંથકમાં ખુલ્લા કૂવાઓ સિંહો માટે જોખમી બન્યા...

  ખાંભા તુલસીશ્યામ રેન્જના કોટડા ગામે ખેડૂતની વાડીના ખુલ્લા કુવામાં પડી જવાથી સિંહ અને સિંહણના મોત નિપજ્યા હતા ઘટનાની જાણ થતા ખાંભા વન વિભાગ નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સિંહના મૃતદેહને બહાર કાઢ્યા હતા ત્યારે ખાંભા સહિત ગીર પંથકમાં કૂવાઓ સિંહો માટે જોખમી સાબિત થઈ રહ્યા હોય તેમ સાબિત થઈ રહ્યું હતુ

 ધારી ગીરપુર્વના ખાંભા તુલશીશ્યામ રેંજના પીપળવા રાઉન્ડ નીચેના કોટડા ગામના ખેડૂત અમરૂભાઈ વાળાની વાડીના ખુલ્લા ૪૦ ફૂટ ઊંડા કૂવામાં એક સિંહણ અને સિંહ કુવામાં પડ્યા હતા ત્યારે ખેડૂત દ્વારા ખાંભા વન વિભાગને જાણ કરતા વન વિભાગના ડી સી એફ રાજદીપસિંહ ઝાલા ની સૂચનાથી ખાંભા તુલસીશ્યામ રેંજના આરએફઓ રાજલ પાઠક સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે રાત્રિના ૨ વાગે ખુલ્લા કૂવામાં એક સિંહણ મૃતદેહ જોવા મળતા વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહ ને કૂવામાંથી કાઢ્યો હતો ત્યારે સ્થાનિક ગામ જનોના જણાવ્યા અનુસાર વધુ એક સિંહ કુવામાં પડ્યો હોવાનું સામે આવ્યો હતો ત્યારે વન વિભાગ નો સ્ટાફ અરસપરસ તપાસ કરી પરત આવી ગયેલો હોય ત્યારબાદ સવારે વધુ એક સિંહનો મૃતદેહ કુવામાં જોવા મળતા સ્થાનિક ખેડૂત દ્વારા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા પાંચ થી નવ વર્ષના નર સિંહના મૃતદેહને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો હતો ત્યારે ખાંભા અને ગીર પંથકના રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ સિંહ સહિત વન્ય પ્રાણીઓ માટે જોખમી સાબિત થયા હતા અને કોટડા ગામમાં એક સાથે બે સિંહ એટલે કે સિંહણ અને સિંહ નું કૂવામાં પડી જવાથી વન વિભાગ અને સિંહ પ્રેમીઓમાં ભારે શોક ફેલાયો હતો અને વન વિભાગ દ્વારા સિંહ સિંહણના મૃત દેહને પીએમ અર્થ આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ખાંભા વન વિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા કોટડા ગામે ખેડૂતની વાડીના કુવાની આસપાસ સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું