ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વગર લાઇસન્સ એ નાણાં ધિરનાર અને લિમિટ કરતા વધુ વ્યાજ લઈ ત્રાસ આપી લોકો ના અપમૃત્યુ નું કારણ બનનાર લોકો ઉપર કાર્યવાહી કરવાની સૂચના આપી છે

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો 

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

ત્યારે પોલીસ પ્રશાસને હવે લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.  જોકે, હાલમાં પોલીસ પાસે ગેરકાયદેસર વ્યાજખોરોની માહિતી નથી, આવી સ્થિતિમાં પોલીસ ફરિયાદને આ સમસ્યાનો આધાર બનાવશે.  તાજેતરમાં દાહોદના એસપી બલરામ મીણાએ મીડિયા સમક્ષ જાહેર જનતાને ખાતરી આપી છે કે ગેરકાયદેસર પૈસા ધીરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ એસ.પી બલરામ મીણાએ પણ જનતાને તાકીદ કરી છે કે જો કોઈ તમને આ રીતે ધમકી આપે છે કે હેરાન કરે છે અને ખોટા વ્યાજ માટે ઉઘરાણી કરી છે તો પછી કોઈપણ ડર વિના, તમે નવા વર્ષના પ્રથમ સપ્તાહથી દાહોદ પોલીસને જાણ કરી શકો છો. અને તમારી સાચી  રજૂઆત ને ધ્યાને લઈ  દાહોદ પોલીસ ફરિયાદ નોંધી આવા ગુનેગારો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરશે તેવું દાહોદ ASP જગદીશ બાગરવા એ આજે એક પ્રેસવાર્તામાં જણાવ્યું હતું અને લોકો ને અપીલ પણ કરી હતી કે જે કોઈ લોકો આવા લોકોના ભોગ બન્યા હોય તે લોકો નીડરતા થી દાહોદ પોલીસ નો સંપર્ક કરવો