ભચાઉ અને વોંધના ચેરિયા વિસ્તારમાં વન અધિકાર કાયદો 2006 અને એનજીટીના ચુકાદાના ઉલ્લંઘન અંગે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનએ કચ્છ અને સૌરાષ્ટ્રના ઊંટપાલકો પાસે રહેલ ઊંટની બે નસલ ખારાઇ અને કચ્છી ઊંટોના સંરક્ષણ, ચરિયાણ અને આજીવિકા અંગે વર્ષ 2011થી કાર્યરત છે. ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે, ભચાઉ અને વોંધના સીમાડા નજીક આવેલ હડકિયા ક્રીક એ ગીચ ચેરિયાંનાં જંગલોનો વિસ્તાર છે, જેના પર આશરે 400 ખારાઇ ઊંટ અને પાલકો ચરિયાણ તેમજ તેમની આજીવિકા અર્થે પૂર્ણ રૂપે આધારિત છે, પરંતુ આ ક્રીક પાસે આવેલ નાની બેટી, ગુલાબશા પીર દરગાહનો પશ્ચિમ વિસ્તાર, જેમાં છેલ્લા પાંચ વર્ષથી વિવિધ મીઠાંનાં કારખાનાંના માલિકો દ્વારા આ ગીચ ચેરિયાંનાં જંગલોનું ઝડપી નિકંદન થઇ રહ્યું છે. આ બાબતે વર્ષ 2018થી વખતો વખત સંગઠન દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઇ હતી. જેને પગલે' આપે વનસંરક્ષકને પત્ર લખેલ અને ત્યારબાદ એ દબાણકારો 15 દિવસ માટે એ કામ મૂકીને ભાગી છૂટયા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ફરી તે જ સ્થળે ચેરિયાંનું નિકંદન કરવાનું શરૂ કર્યું છે. આ અંગે જો સત્વરે જરૂરી અને સચોટ કાયદાકીય પગલાંઓ નહીં લેવાય તો થોડા જ સમયમાં ચેરિયાં, દરિયાઇ જીવો અને ખારાઇ ઊંટોનું અસ્તિત્વ હંમેશાં માટે ખોરવાઇ જશે. આ ઉપરાંત આપની આગેવાની હેઠળ જીસીઝેડએમએ, ડીઆઇએલઆર, દીનદયાળ પોર્ટ તથા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની એક સંયુકત મિટિંગ બોલાવવામાં આવે તેવી પણ માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बागेश्वर धाम सरकार के जन्मदिन पर लगाए फलदार वृक्ष
बागेश्वर धाम सरकार के जन्मदिन पर लगाए फलदार वृक्ष
पन्ना शिष्य मंडल में फलदार वृक्ष लगाकर प्रकृति...
Breaking News: CM Kejriwal पर Supreme Court का बड़ा बयान, कहा- चुने हुए सीएम हैं
Breaking News: CM Kejriwal पर Supreme Court का बड़ा बयान, कहा- चुने हुए सीएम हैं
Madhya Pradesh Election: Rahul Gandhi पर Narottam Mishra का विवादित बयान | Aaj Tak News
Madhya Pradesh Election: Rahul Gandhi पर Narottam Mishra का विवादित बयान | Aaj Tak News
ડીસામાં યુવકની લાશ મળી આવતાં ચકચાર
ડીસાના વાડી રોડ વિસ્તારમાં આવેલ મોચીવાસ નજીક રામાપીર મંદિર પાસે અવાવરૂ જગ્યામાંથી એક યુવકની લાશ...
आप ने पंजाब को आर्थिक आपातकाल की तरफ़ धकेला : चुघ || पंजाब की आर्थिक गड़बड़ियों पर स्वेत पत्र जारी करे मान सरकार: चुग
भाजपा के राष्ट्रीय महासचिव तरूण चुघ ने आज कहा कि मुख्यमंत्री भगवंत मान के नेतृत्व वाली आप...