ભચાઉ અને વોંધના ચેરિયા વિસ્તારમાં વન અધિકાર કાયદો 2006 અને એનજીટીના ચુકાદાના ઉલ્લંઘન અંગે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનએ કચ્છ અને સૌરાષ્ટ્રના ઊંટપાલકો પાસે રહેલ ઊંટની બે નસલ ખારાઇ અને કચ્છી ઊંટોના સંરક્ષણ, ચરિયાણ અને આજીવિકા અંગે વર્ષ 2011થી કાર્યરત છે. ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે, ભચાઉ અને વોંધના સીમાડા નજીક આવેલ હડકિયા ક્રીક એ ગીચ ચેરિયાંનાં જંગલોનો વિસ્તાર છે, જેના પર આશરે 400 ખારાઇ ઊંટ અને પાલકો ચરિયાણ તેમજ તેમની આજીવિકા અર્થે પૂર્ણ રૂપે આધારિત છે, પરંતુ આ ક્રીક પાસે આવેલ નાની બેટી, ગુલાબશા પીર દરગાહનો પશ્ચિમ વિસ્તાર, જેમાં છેલ્લા પાંચ વર્ષથી વિવિધ મીઠાંનાં કારખાનાંના માલિકો દ્વારા આ ગીચ ચેરિયાંનાં જંગલોનું ઝડપી નિકંદન થઇ રહ્યું છે. આ બાબતે વર્ષ 2018થી વખતો વખત સંગઠન દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઇ હતી. જેને પગલે' આપે વનસંરક્ષકને પત્ર લખેલ અને ત્યારબાદ એ દબાણકારો 15 દિવસ માટે એ કામ મૂકીને ભાગી છૂટયા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ફરી તે જ સ્થળે ચેરિયાંનું નિકંદન કરવાનું શરૂ કર્યું છે. આ અંગે જો સત્વરે જરૂરી અને સચોટ કાયદાકીય પગલાંઓ નહીં લેવાય તો થોડા જ સમયમાં ચેરિયાં, દરિયાઇ જીવો અને ખારાઇ ઊંટોનું અસ્તિત્વ હંમેશાં માટે ખોરવાઇ જશે. આ ઉપરાંત આપની આગેવાની હેઠળ જીસીઝેડએમએ, ડીઆઇએલઆર, દીનદયાળ પોર્ટ તથા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની એક સંયુકત મિટિંગ બોલાવવામાં આવે તેવી પણ માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दान देने से अवश्य होती है अचिंत्य फल की प्राप्ति -आर्यिका विज्ञाश्री माताजी विज्ञातीर्थ क्षेत्र पर मनो देवी एवं रुचि दीदी का हुआ केशलोंच
आर्यिका विज्ञाश्री माताजी ससंघ के सान्निध्य में श्री दिगंबर जैन अतिशय क्षेत्र सहस्त्रकूट...
ઈદ એ મિલાદ અને પૂનમ હોવાના કારણે ડાકોર ના મુસ્લિમો દ્વારા ઝુલુસ રદ રાખી કોમી એકતા ના દર્શન કરાવ્યા
આવતી કાલે ઈદ એ મિલાદ અને ડાકોર મંદિર ખાતે ની પૂનમ યોગાનુયોગ સાથે આવ્યા છે ત્યારે ડાકોર ખાતે...
પુના ગામે દીપડાએ પાલતુ કૂતરાને ફાડી ખાધું વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી...
મહુવા તાલુકાના વડીયા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લઈ ઉકાતરસાડીયા યુનિવર્સિટીના એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખ્યા
સુરત જિલ્લામાં સેંકડો ખેડૂતો રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે ત્યારે...
Jammu Kashmir Weather News: रामबन में जमकर हुई बर्फबारी, कई जगहों पर फंसे सैलानी | Snowfall in Jammu
Jammu Kashmir Weather News: रामबन में जमकर हुई बर्फबारी, कई जगहों पर फंसे सैलानी | Snowfall in Jammu