ભચાઉ અને વોંધના ચેરિયા વિસ્તારમાં વન અધિકાર કાયદો 2006 અને એનજીટીના ચુકાદાના ઉલ્લંઘન અંગે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનએ કચ્છ અને સૌરાષ્ટ્રના ઊંટપાલકો પાસે રહેલ ઊંટની બે નસલ ખારાઇ અને કચ્છી ઊંટોના સંરક્ષણ, ચરિયાણ અને આજીવિકા અંગે વર્ષ 2011થી કાર્યરત છે. ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે, ભચાઉ અને વોંધના સીમાડા નજીક આવેલ હડકિયા ક્રીક એ ગીચ ચેરિયાંનાં જંગલોનો વિસ્તાર છે, જેના પર આશરે 400 ખારાઇ ઊંટ અને પાલકો ચરિયાણ તેમજ તેમની આજીવિકા અર્થે પૂર્ણ રૂપે આધારિત છે, પરંતુ આ ક્રીક પાસે આવેલ નાની બેટી, ગુલાબશા પીર દરગાહનો પશ્ચિમ વિસ્તાર, જેમાં છેલ્લા પાંચ વર્ષથી વિવિધ મીઠાંનાં કારખાનાંના માલિકો દ્વારા આ ગીચ ચેરિયાંનાં જંગલોનું ઝડપી નિકંદન થઇ રહ્યું છે. આ બાબતે વર્ષ 2018થી વખતો વખત સંગઠન દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઇ હતી. જેને પગલે' આપે વનસંરક્ષકને પત્ર લખેલ અને ત્યારબાદ એ દબાણકારો 15 દિવસ માટે એ કામ મૂકીને ભાગી છૂટયા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ફરી તે જ સ્થળે ચેરિયાંનું નિકંદન કરવાનું શરૂ કર્યું છે. આ અંગે જો સત્વરે જરૂરી અને સચોટ કાયદાકીય પગલાંઓ નહીં લેવાય તો થોડા જ સમયમાં ચેરિયાં, દરિયાઇ જીવો અને ખારાઇ ઊંટોનું અસ્તિત્વ હંમેશાં માટે ખોરવાઇ જશે. આ ઉપરાંત આપની આગેવાની હેઠળ જીસીઝેડએમએ, ડીઆઇએલઆર, દીનદયાળ પોર્ટ તથા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની એક સંયુકત મિટિંગ બોલાવવામાં આવે તેવી પણ માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस दिन लगेगा सूर्य ग्रहण, सुबह से बंद रहेंगे सभी मंदिर
सूर्यग्रहण 25 अक्तूबर दिन मंगलवार को पड़ रहा है। इस दिन सूर्यग्रहण पड़ने से दीपावली के बाद के...
સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે ૧૭ વર્ષીય કિશોરીબાનું સર્પદંશ થિ મૃત્યુ થતાં નાનકડા એવા આદસન્ગ ગામમાં ગમગીની ફેલાઈ ગઈ
સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે ૧૭ વર્ષીય કિશોરીબા નું સર્પ દંશથિ મૃત્યુ થતાં નાનકડા એવા આદસન્ગ...
गुनौर थाना क्षेत्र में अज्ञात चोरों ने एक ही समय दो जगह लगाई सेंध सुने घरों पर चोरी की वारदात को दिया अंजाम 1लाख 13 हजार का मशरूका एवं रुपए लेकर चोर फरार
गुन्नौर थाना क्षेत्र के बरहा कला निवासी एवं पीपल टोला पडेरी रोड निवासी दोनों...
Benefits Of Cleaning Tongue: हेल्दी रहने के लिए सिर्फ दांत ही नहीं, जीभ की सफाई भी है जरूरी
सेहतमंद रहने के लिए अच्छी डाइट के साथ- साथ ओरल हाइजीन भी जरूरी है। हालांकि लोग सिर्फ ओरल हाइजीन...
,અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા મુકામ રાજુલા તાલુકા રામાનંદી સમાજ દ્વારા 21 નવ દંપતિઓનું સમૂહ
,અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા મુકામ રાજુલા તાલુકા રામાનંદી સમાજ દ્વારા 21 નવ દંપતિઓનું સમૂહ