ભાવનગર રેન્જના આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમા ગુન્હાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય. અને અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ માથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા જીલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.જે અન્વયે છેલ્લા એક વર્ષથી વંડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુ.ર.નં ૧૧૧૯૩૦૬૧૨૧૦૨૮૬/૨૦૨૧ IPC ક .૩૬૩,૩૬૬,૩૭૬(૨)(જે)(એન) તથા પોક્સો એ-ક.૪,૬,૧૭,૧૮ મુજબના ગુન્હાના ફરીયાદી હાલ આંકોલડા ગામે રહેતા ચેતનાબેન વા.ઓ,બકુલભાઇ લોઢણીયા,રહે.આંકોલડા,તા.સાવરકુંડલા, જી.અમરેલી, વાળાની ૧૬ વર્ષ ૩ માસની દીકરીને લલચાવી ફોસલાવી તેની સાથે લગ્ન કરવાના ઇરાદે તથા બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઇને ગુન્હો કરેલ હોય જે ગુન્હો તા.૧૮/૦૮/૨૦૨૧ ના ક.૧૪/૦૦ વાગ્યે જાહેર થયેલ છે, જે કામનો આરોપી સંદીપભાઇ ગોરધનભાઇ ધાખડા ઉ.વ.૨૪. ધંધો.મજુરી,રહે. આંકોલડા,તા.સાવરકુંડલા,જી.અમરેલી, વાળો આ કામની ભોગ બનનારને લઇ પોતે ભોગ બનનાર સાથે ભાગી ગયેલ હોય.જેથી તેને હસ્તગત કરવા અને પકડી પાડવા, માટે સાવરકુંડલા વીભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ સુચના આપેલ. જે અન્વયે સી.પી.આઇ. ધારી કે.સી.રાઠવા સાહેબ તથા કચેરીના એ.એસ.આઇ. ચંદ્રકાંતભાઇ બારોટ તથા હેડ કોન્સ . વીજયભાઇ વ્રજલાલભાઇ ડાભી નાઓએ ખાનગી રાહે બાતમી મેળવી આ કામનો આરોપી જુનાગઢ જીલ્લાના વીસાવદર તાલુકાના સીમ વીસ્તારમા રહેતો હોવાની ખાનગી રાહે બાતમી મેળવી તુર્તજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબ નાઓ પાસેથી ટેલીફોનીક મંજુરી મેળવી વીસાવદર તાલુકાના સીમ વીસ્તારમાં આવેલ વાડી વીસ્તારમાથી મજકુર આરોપીને ભોગબનનાર સાથે હસ્તગત કરી કરેલ અને આ ગુન્હાના કામે તા.૦૫/૦૮/૨૦૨૨ ના ક.૧૬/૩૦ વાગ્યે અટક કરી આગળની કાર્યવાહી કરવા તથા ગુન્હાના મુળ સુધી પહોંચવા તજવીજ કરેલ છે.પકડાયેલ આરોપીનું નામ–સંદીપભાઇ ગોરધનભાઇ ધાખડા,ઉ.વ.૨૪,ધંધો.મજુરી,રહે. આંકોલડા,તા.સાવરકુંડલા,જી.અમરેલી, રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.