ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું.  ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...