ડીસાના માલગઢ ગોગાઢાણીથી જોધપુર વડલી ભેરૂજીધામ પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું

ડીસા તાલુકાના વડાવળમાં આવેલ પરચાધારી ગોગા ધણીના વિસ્તાર ગોગા ઢાણીથી માલગઢના સોલંકી માળી પરિવાર તરફથી છઠ્ઠો પગપાળા સંઘ રાજસ્થાનના જોધપુરમાં વિદ્યમાન વડલીવાળા ભેરુજીના દર્શનાર્થે રવાના થયો હતો.માલગઢ પાટીએ વિશ્રામ સમય દરમિયાન શાંતિ શંકરજી સોલંકીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા છ વર્ષથી વડલી ભેરૂજીના દર્શનાર્થે પગપાળા જઈએ છીએ અને ત્યાં ભજન કીર્તન પૂજા પ્રસાદ કરીએ છીએ.વડલી ભેરૂજી મંદિરના ઈતિહાસમાં ગયા વર્ષે સોલંકી માળી પરિવાર દ્વારા ત્યાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.કળિયુગના જાગૃત દેવ ભેરૂજી શ્રદ્ધાળુઓના ધાર્યા કામ પાર પાડે છે ભેરૂજી મહારાજ ના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં સંઘ મો જોડાયા હતા

Tv 108 24x7 live news 

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા