પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૧૩ માં હપ્તા માટે ઇ કેવાયસી કરાવવું ફરજીયાત હોય ઇ કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ આગામી તા. ૩૧ ડિસેમ્બર પહેલા નજીકના ગ્રામ પંચાયતના વીઇસી/સીએસસી કેન્દ્ર, ગ્રામસેવકનો સંપર્ક કરી ઇ કેવાયસી કરાવી લેવાની રહેશે.

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469/દાહોદ 

જો કોઇ લાભાર્થી નાગરિક જિલ્લાની બહાર કામગીરી અર્થે અન્ય જિલ્લામાં ગયો હોય તે કિસ્સામાં પણ સંબંધિત જિલ્લાના નજીકના સીએસસી કેન્દ્ર/ગ્રામ પંચાયત ખાતે પોતાનું આધારકાર્ડ અને બેન્ક ખાતાની વિગતો રજૂ કરી તે જિલ્લામાંથી પણ ઇ કેવાયસી કરાવી શકે છે.

આધાર ઇ-કેવાયસી કરવાની પદ્ધતિ આ મુજબ છે. લાભાર્થી જાતે કરી શકે તેવી પદ્ધતિમાં ઓટીપી મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર http//pmkisan.gov.in/aadharekyc.aspx લીંક મારફત અથવા પીએમ કિસાન એપ પરથી લાભાર્થીઓ દ્વારા આધાર ઇ-કેવાયસી કરી શકાશે. અથવા બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસમાં જઇ લાભાર્થી આધાર ઇ-કેવાયસી કરાવી શકશે. જેનો ચાર્જ રૂ. ૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે.

પીએમ કિસાન પોર્ટલ આધાર ઇ-કેવાયસી કરવા માટે http//pmkisan.gov.in પોર્ટલ પર Farmers corner માં આપેલો ઓપ્શન e-KYC ઉપર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobile OTP ઉપર ક્લીક કરવાનું રહેશે. ત્યાર બાદ મોબાઇલ ઓટીપી દાખલ કરી Get Mobile OTP ઉપર ક્લીક કરવું જેથી આધાર કાર્ડ સાથે જે મોબાઇલ લીંક હશે તે નંબર ઉપર આધાર ઓટીપી આવશે. આધાર રજીસ્ટર્ડ મોબાઇલ ઓટીપી દાખલ કરી Submit for Auth બટન ઉપર કલીક કરતા ekyc is successfully submitted ડિસ્પલે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે. દાહોદનાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.